Thursday, September 1, 2016
યે જિંદગી કે મેલે ...
Tuesday, August 30, 2016
Khabarchhe.com
Thursday, August 25, 2016
નંદઘેર આનંદ ભયો..
Thursday, August 18, 2016
દિવસો ફરાળનાં જાય છે..
Monday, August 15, 2016
પત્રમૈત્રી-૨...
Thursday, August 11, 2016
ડાબોડી કે જમોડી?
ત્રીજા કે ચોથા ધોરણમાં એક "ડાબો કે જમણો?" એવો કાકાસાહેબ લિખિત પાઠ આવેલો ત્યારે પહેલીવાર આ " ડાબોડી" ને "જમોડી" શબ્દોનો પરિચય થયેલો. કાનમાં બુટ્ટી પહેરેલી તે પરથી કાકાસાહેબ ડાબો- જમણો હાથ ઓળખતા શીખેલા.અમારાં એક માસી "જમીએ એ જમણો હાથ " એમ કહેતાં પણ જમવાનું શરુ કયા હાથે કરવાનું એ કદી ન કહે. જાણીતા હાસ્યલેખક સ્વ.બકુલત્રિપાઠીને યેનકેન પ્રકારેણ જમોડી બનાવી દેવાયેલા એમાં એ તો નાના હોવાથીખાસ કંઈ વિરોધ ન કરી શક્યા પણ એમના અક્ષરોએ બંડ પોકાર્યું અને કહ્યામાં ન રહેતાં ખરાબ થઈ ગયા. તો બીજાં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટની શારીરિક તકલીફોએ એમને જમણા હાથને બદલે ડાબા હાથે લખવા મજબુર કર્યાં .પાકા ઘડે કાંઠા ન ચડે એ કહેવતને વિનોદભાઈએ ખોટી પાડી ને ડાબા હાથે ય એ સુવાચ્ય લખી શકે છે. ગાંધીજી બંને હાથે લખી શકતાં . "હિંદસ્વરાજ" જમણા હાથે લખતા થાક્યા તો ડાબા હાથે લખી.
આપણા દેશમાં ડાબા હાથની કાયમ અવગણના થતી આવી છે. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ એને સાચું દાનકર્મ કહેવાય. કેમ? જમણો હાથ દાનવીરનો છે તો ડાબો હાથ એના શરીરની બહાર આવેલોછે? પુજાપાઠ હંમેશા જમણા હાથે જ કરાય એવી સમજ બાળકના મનમાં સાવ કાચી ઉંમરથી રોપી દેવાય.
અમારા એક પરિચિતને ત્યાં સત્યનારાયણની કથા હતી. ને પરિચિતની છ-સાત વરસની દીકરી કથામાં બેઠેલી. મહારાજે કહ્યુ :" બેબી, આ ગણપતિ દાદાને કંકુથી તિલક કરો " ને બેબીબેને ડાબા હાથે ગણપતિદાદાને તિલક કર્યું. મહારાજ આઘાત પામી ગયા. કળ વળતા એમણે બેબીને સમજાવ્યું કે એ જે હાથે જમે છે એ હાથથી જ તિલક કે પુજા કરાય.એટલે બેબીબેન બોલ્યા: "પણ અંકલ. હું તો આ હાથથી જ જમુ છું. હેં ને મમ્મા?" મમ્માએ હસીને હા કહી એટલે મહારાજ જરા નારાજગી થી બોલ્યા: "યજમાન,પૂજાપાઠ જેવાં પવિત્ર કામ હંમેશા જમણા હાથે કરાય. બહુ સામાન્ય સમજ છે આ તો. બેબી ગણપતિજીની મુર્તિ પર તિલક કરે છે એ ડાબો હાથછે. "" હા સોરી મહારાજ, શું છે કે એ ડાબોડી છે તો એ ડાબા હાથે જ તિલક આર્ટિસ્ટીક અને માપસરનું કરી શકશે. . "
"તે જે કહેવાય તે, જમણા હાથથી તિલક કરો ચાલો. મારે બીજે ય કથા કરવાજવાનું છે. બેબીબેન ,એક કામ કરો. આ મેં તમારા હાથ પર નાડાછડીજી બાંધ્યાછે એ જમણો હાથ છે એટલું યાદ રાખજો,બસ. બાકી બધું મારા પર છોડી દો. " બેબીબેનની મમ્માએ બેબીને પાછું ડાબું જમણું સમજાવ્યું અને મહારાજને કથાજલદી પતાવવા સુચના આપી જેથી બધા વેળાસર જમવાભેગા થઈ શકે.
. પોતાને ક્રિકેટમાં સર્વજ્ઞ માનતા અમારા એક વડીલે એકવાર ખુબ જઆત્મવિશ્વાસ સાથે જ્ઞાન પીરસેલું. " એક ટાઈમ હતો કે જ્યારે ઈન્ડિયન ક્રિકેટટીમમાં પાંચ પાંચ સોલિડ લેફ્ટીસ્ટ હતાં." વયમર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈએએમને પ્રગટપણે તો કંઈ ન કહ્યું હોય પણ મનોમન તો હસી જ લીધું હશે.
ડાબોડીઓ માટે એવું કહેવાય છે કે એમનો બુધ્ધિઆંક ઊંચો હોય છે. કળાનીસમજ પણ વધુ હોય છે.લઘુમતી કહી શકાય એવી આ જમાતમાં સિકંદર,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા, જુલિયસ સીઝર ,જે.એફ. કેનેડી ,જેક -ધ સીરીયલ કીલર ,બરાક ઓબામા, જ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા,સચીન તેંડુલકર,સૌરવ ગાંગુલી,યુવરાજ સિંઘ,અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન ,કપિલ શર્મા , નરેન્દ્ર મોદી, રતન તાતા એન્ડ અબોવ ઓલ..મહાત્મા ગાંધી .. આ બધા નામોનો સમાવેશ છે.ડાબોડીઓ ઘણે ભાગે મગજપર નિયંત્રણ રાખી ન શકતા હોવાથી ગુસ્સો ખિસ્સામાં મુકીને જ ચાલે.
ખોંખારો : "ઊંધા હાથની અડબોથ" વિશ્વના ૧૦ થી ૧૨ % લોકો માટે સીધા હાથની હોય છે.



