Tuesday, August 30, 2016

Khabarchhe.com

........ગુજરાતમાં ને ખાસ કરીને અમદાવાદમાં વરસાદ મન મુકીને વરસ્યો નથી કારણકે આ વખતે 'ભુવાે પડ્યો' એવા સમાચાર ઓછાં વાંચવામાં આવ્યાં છે .દેશમાં ઉત્તર પૂર્વનાં મોટાંભાગનાં પ્રદેશો જળબંબાકાર છે. ખરા અર્થમાં ત્યાં આભ ફાટ્યું છે.........

Read more on ...


Thursday, August 25, 2016

નંદઘેર આનંદ ભયો..



રિયો ઓલિમ્પિક્સમાં ભારતના ભાગે આવેલો પહેલો કાંસ્ય ચંદ્રક સાક્ષી મલિકે જીત્યો ને એ ય 'કુસ્તી' માટે. નામ બોલવામાં ય જીભના ગોટા વળી જાય  એવી નામધારી પુસરેલા વૈંકટા સિંધુએ બેડમિંટનમાં રજત ચંદ્રક હાંસલ કર્યો ને ફુલ રેકેટ ના ભાવ પણ ઉંચકાયા. બેડમિંટનનો ઉચ્ચાર  ઘણાં આજે ય 'બેડમિંગ્ટન ' કરે છે.અટપટુ નામ બોલવા કરતા ફુલ રેકેટ એકદમ સરળ ને જીભવગું છે. કેટલાંય લોકો તો એમ જ માને છે કે  બેડમિંટન એટલે જીતેન્દ્રના  ' ઢલ ગયા દિન .(ટુક) ..હો ગઈ શામ..(ટુક) .. વાળા ગીતમાં'  ટુક ' મ્યુિઝક વખતે રમાતી રમત એ ગીત થકી જ ભારતમાં  લોન્ચ થઈ છે. આ ગીતમાં જે ઝડપથી બંને જણા ફુલ રેકેટ રમે છે એ ઝડપમાં તો ભારત કી બેટી અને સ્પેઈન કી બેટી એક સેટ રમી નાંખે. બેડમંિટનની ખરી મઝા તો શટલકોક આમથી તેમ ફંગોળાય એ જોવાની છે.આપણે ત્યાં તો માણસો ય ફંગોળાય છે.આ નવજોતસિંઘ સિધ્ધુનો જ દાખલો જ લો.ભાજપમાંથી ફંગોળાઈને મહાશય 'આપ'માં ગયા.પણ છેલ્લા રિપોર્ટ પ્રમાણે  એ હજુ હવામાં જ છે , ખબર નહીં એ કોના કોર્ટમાં જઈને પડશે.વળી, આ રમત પ્રેક્ષકની ડોકનો દુખાવો મટાડવાની થેરપી છે.ડાબેથી જમણે ને જમણેથી ડાબે ફરે. જો કે કોઈવાર અતિઝડપી શોટ્સના લીધે ડોકમાં જર્ક પણ આવી શકે છે માટે અનુભવી ડોક્ટરની સલાહાનુસાર જ સ્ટેિડયમમાં મેચ જોવી.
   પચાસથી સિત્તેરના વયજુથનાં કરોડો લોકો માટે કુસ્તી એટલે દારાસિંહ અને રંધાવા નામના બે કુસ્તીબાજોનો પર્યાય. યુ.પી.ના અનેક શહેરોમાં હજુ ય આધુનિક રમતો ખાસ પહોંચી નથી ત્યાં કુસ્તીનું એકહથ્થુ શાસન બરકરાર છે. સવારમાં પીઠ પર સરસીયાના તેલની ધાર કરીને શરીરને માટીથી નવડાવતા ' સીટી પહેલવાનો' આજે ય અખાડામાં જોવા મળે છે.એકબીજાને ધુળ ચાટતા કરીને જલેબી ને દૂધ ખાતા આ પહેલવાનોની જાણ બહાર સાક્ષી મલિક નામની, હજી પચીસીમાં ય ન પહોંચેલી દીકરીએ  બધા પહેલવાનોને ધૂળ ચાટતા કરી દીધા છે. અખાડાઓ ધીમે ધીમે 'જીમ'માં ફેરવાઈ રહ્યા છે તેવા સમયમાં સાક્ષીએ આમ મેડલ જીતીને અખાડાને 'સ્ટેચ્યુ' કહી દીધું છે. કેલ્શિયમની ખામી હોય એવાં છોકરાંઓ ધૂળ ખાય ને આધુનિક મમ્મીઓ બાળકને લઈ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે દોડે એના કરતાં અખાડામાં પહેલવાનો પાસે કુસ્તીની તાલીમ અપાવે એવી સંભાવના નકારી શકાય એવી નથી. એક પંથ દો કાજ. દરેક છોકરીઓ જો 'સાક્ષીભાવ' રાખે તો મજાલ છે કોઈ છોકરાની કે સીટી મારીને ભાગી જાય ! કહેવાય છે કે કલમની તાકાત આગળ બધા એ ઝુકવુ પડે પણ કલમની તાકાતે ય ક્યારેક ઘુંટણિયે પડવું પડે એવું ભારતની આ જાંબાઝ દીકરીઓએ કરી દેખાડ્યું. બ્લેક કોફી પીતા પીતા , સોશિયલ મીડિયા પર ચટરપટર કરતાં કરતાં આ રમતવીરોના સંઘર્ષની ' સેલ્ફી' પાડી શકે એવું કોઈ સાધન શોધાયું નથી શોભાબહેન.. 
     રિયો ઓલિમ્પિક્સમાં મળેલી સફળતાથી સરેરાશ ભારતીયને ક્રિકેટ સિવાય પણ કોઈ રમતની ચર્ચા થઈ શકે એવો ખ્યાલ આવ્યો છે . ને સ્ત્રીઓ માત્ર જીભ કે કડછી જ ચલાવી શકે એવી જુગજુની માન્યતાના કાંગરા ખર્યા છે.ફાંકડા બાવડાંવાળા ૧૧ જણાં ભેગાં થઈને ય સેમીફાઈનલ હારી જાય, વળી ત્રણ ચાર નિષ્ણાતો ચ્હા કોફીને ન્યાય આપતા આપતા એ હાર વિશે ચર્ચાઓ કરે..એના કરતા હવે આવી રમતોને અને સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવાના ફાંકડા દિવસો આવી ગયા છે. નંદઘેર આનંદ 
પાછું આ બધું બન્યું ય કૃષ્ણજન્મના મહિનામાં જ.એટલે સૌને જયશ્રીકૃષ્ણ તો કહેવું જ પડે. મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી સમયે દહીંહાંડી કે હાંડીફોડનો રિવાજ છે. બેડમિંટનની જેમ આ હાંડીફોડને પ્રચલિત કરવા  હિન્દી ફિલ્મોએ ખાસ્સુ ફુટેજ આપ્યું છે. ગોવિંદા આલા રે.. આજની તારીખમાં ય દહીંહાંડીનુ રાષ્ટ્રીય ગીત છે. પહેલાં માત્ર ગોવિંદાઓ જ મટકી ફોડતા પણ હવે ગોવિંદીઓ ય અમુક અમુક જગ્યાએ દેખાતી થઈ છે ખરી.
બાલકૃષ્ણલીલાના ભાગ એવી આ દહીંહાંડી છેલ્લાં થોડાં વરસથી રાજકારણીઓ, શ્રીમંતો દ્વારા શરુ કરાયેલાં ગંજાવર ઈનામોને  કારણે  પોતાની મૂળ દંતકથાથી જરા આડી ફંટાઈને સ્પર્ધાત્મક બની જવા પામી છે. બાકી સમગ્ર મહારાષ્ટ્રમાં જે રીતે આ મટકીફોડ કે દહીંહાંડી ઉજવાય છે એ જોતાં ભગવાન શ્રી કૃષ્ણને ય કદાચ પોતાનું જન્મસ્થાન મથુરા હોવા વિષે શંકા જતી હશે. ભારતમાં કૃષ્ણનાં દરેક સ્વરુપને આસ્થાળુઓએ લખલૂટ ચાહ્યું છે.કૃષ્ણ પોતે કોઈ દિવસ જુગાર રમ્યા ન હતા પણ જન્માષ્ટમીની સાથે સાથે જુગારનું ય તત્વ જોડાયેલું છે.સાતમ આઠમ આવે કે ધાડેધાડાં જુગાર રમવા ઉતરી પડે.ભગવાનના નામે જુગાર રમવામાં એટલા તો વ્યસ્ત ને મસ્ત હોય કે ખરેખર જો ભગવાન જન્મ લે તો એમની સામે જોવાની ય ફુરસદ ન હોય. જો ખેલાડીની તરફેણમાં પાનાં નીકળે તો રાતના ૧૨ ન વાગ્યા હોય તો પણ એમને ત્યાં પ્રિમેચ્યોર્ડ પણ સબ સલામત કૃષ્ણજન્મ  થઈ ગયો હોય એવી હરખની હેલી આવે છે. ઘણી જગ્યાએ પૈસાની લેતીદેતી વિના નિર્દોષ જુગાર બી રમાય. તો કેટલીક જગ્યાએ ભાઈઓ , બહેનો અને બાળકોનો જુદોજુદો જુગાર બી યથાશક્તિ  રમાય.જૈસી જિસકી સોચ.

         વિશ્વસ્તરે રમતગમતમાં આ વખતે  આપણે ય જરાક નોંધપાત્ર કરી  દેખાડ્યું એ જોતા સરકારે ખેલમહાકુંભ જેવા રમતમેળાઓ વિષે ગંભીરતાથી વિચારવું જોઈએ. ક્રિકેટની જેમ કબડ્ડીની ય આઈપીએલ સિઝનની શરુઆત થઈ છે એ આવકારદાયક  છે. આંદોલનો, ટાંટિયાખેંચ, ડિબેટ્સ,બેફામ વાણીવિલાસ જેવી રમતોને અધિકૃતતા આપવી જોઈએ અને એ રમતો માટે આપણા રાજકારણીઓ શ્રેષ્ઠ કોચ બની રહે એમાં બેમત નથી .એટલે સરકારે આમાં ખાસ બહારથી કોચ લાવવા નહીં પડે. સરવાળે લાભ દેશનો જ છે.  આમ પણ,  આપણી ઉત્સવપ્રિય પ્રજા ગમે ત્યાંથી આનંદ માણવા ટેવાયેલી છે એટલે એ રાજકારણમાંથી ય આનંદ મેળવી જ લે છે. પાનના ગલ્લે , ઓટલા પરિષદો, બગીચાઓમાં ભેગાં થતાં જુદાં જુદાં જુથો, વોટ્સપ ગૃપ્સ, ફેસબુક ગૃપ્સ વગેરે વગેરે સ્થળોએ થતી ઉગ્ર-સૌમ્ય ચર્ચાઓ દેશ તો ઠીક વિદેશની ય  ભલભલા કોકડાં ઉકેલીને એનો ય લુત્ફ ઉઠાવે એવી સક્ષમ છે. 

ખોંખારો :પી.વી. સિંધુના ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં રજત ચંદ્રક જીતવાથી મચ્છર મારવાના રેકેટનાં ભાવમાં ઉછાળો.( ફીલ ગુડ ફેક્ટર #રિયો_ઓલિમ્પિક્સ ) 

Published in Mumbai samachar ,25/08/2016 thursday , laadki , " મરક મરક

Thursday, August 18, 2016

દિવસો ફરાળનાં જાય છે..



સાડા છ બાય સાડા ત્રણના માપના કાથીના ખાટલામાં વસરામબાપુ ચત્તાપાટ પથરાયેલા પડેલાં.ડાબે જમણે બે દીકરા સુરેશ ને રમેશ જાપાનીઝ પંખાથી એમના સુધી હવા પહોંચાડતા હતાં. ત્રીજો દીકરો મહેશ આમતેમ દોડદોડીમાં લાગેલો હતો.ત્રણેવ વહુઓ બાપુની બિલકુલ સામે પોતે ઘૂમટો તાણેલો પણ પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ બરણીઓ લઈને ખડે પગે હાજર હતી. બરણીઓમાં અંજીર આલુ કાજુ બદામ જેવો સુકો મેવો દેખાતો હતો. ઘરની બહાર જુદાં જુદાં ફળ લઈને એક લારીવાળો તૈનાત હતો. કારણ ...ખાવાનાં ભયંકર શોખીન વસરામબાપુ ઉપવાસ પર હતા. રોડ પર સામાન્યથી થોડો ઊંચા  બમ્પ જેવું   એમનું પેટ ઉપવાસનાં પ્રતાપે થોડું ઉતરેલું  દેખાતું હતું..આ વખતે વટ્ટના માર્યા બાપુએ "શ્રાવણ"ને ઉપવાસ કરીને દેખાડી દેવાનો પડકાર ફેંકેલો. આજે બરાબર પંદર દિવસથી બાપુ ઉપવાસી હતા.એમની ટેકથી માહિતગાર ગામમાં મળવા આવનાર લોકોની અવરજવર ચાલુ રહેતી ને મહેમાનોની આવભગતમાં વહુઓ બિચારી વગર ઉપવાસે ઉપવાસી જેવી થઈ ગયેલી ને બાપુના ઘરવાળા શોભનાબા બાપુના ઉપવાસ નિર્ણય પાછળ ખુદને જવાબદાર ગણીને શિયાવિયા ફરતા હતા.
                                                                                     +

રોજ સવારે બાપુ ત્રણ કે ચાર અંજીરવાળું કઢેલું દુધ પીતા. ઉપવાસ પર હોવાથી જેટલું પ્રવાહી લેશો એટલું પાચનમાં તકલીફ ઓછી પડશે એવી કોઈની અનુભવવાણીના લીધે દિવસમાં ત્રણ વાર એ દુધ લેતાં. પણ આટલી જિંદગીમાં બાપુએ કોઇ દિવસ  ઉપવાસની સામું ય જોયેલું નહીં ને હવે એકદમ આમ ઉપવાસ પર ઉતરી પડવાથી એમનું પેટ પણ બઘવાઈ જેવું ગયેલું .ઉપવાસ દરમ્યાન અકારણ શ્રમ લેવાથી શરીરને કષ્ટ પડે એવી માન્યતા પણ બાપુના મનમાં ઘર કરી ગયેલી એટલે બાપુ દુધ પી ને ઘડીક આરામ કરતાં .કોઈવાર આ શ્વાનઊંઘમાંથી બાપુ ઝબકી જાય તો એમના મન  પર પેટનો કાબુ વધી જતો જણાતો અને એમના લંબાયેલાં હાથમાં ત્રણમાંની એકાદ વહુ સુકો મેવો મુકી દેતી ને  વળી એકાદ ગ્લાસ મિક્સ ફ્રુટ જ્યુસ પીને બાપુ ફરી નિદ્રામય થવાનો પ્રયત્ન આદરતા.બપોર થતા રાજગરાની ભાખરી ,મોરૈયો કે શિંગોડાના લોટનો શીરો ખાતા જેથી અશક્તિ ન આવી જાય. ફરી આરામ કરીને બાપુ જાગે એટલે દુધનો કેસરબદામવાળો રજવાડી મસાલો નાંખેલુ દુધ પીતા.મળવા આવનારની અવરજવર ઓછી થાય એટલે બાપુ સાંજે સાદી ખીચડી કઢી આરોગતા. ખોંખારાઓ ખાઈને એક કડપ ઊભો કરનારા બાપુ આજે રોડના ડિવાઈડર પર બેઠેલી જિદ્દી ગાયની જેમ ખાટલામાં પડી રહેલાં ને ગાયથી ય વધુ ગરીબડા લાગતા હતા. એક ટાઈમ તો ખવાય. એટલું ય બાપુએ આજ સુધી ક્યાં કર્યું હતું?
ક્યા આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ કરતી પેલી નખરાળી કેમેરામેનની ફોજ લઈને બાથરુમમાં ધસી આવી એ સાથે જ  મોબાઇલનો કુકડા એલાર્મ રણકી ઉઠ્યો ને અમે  સફાળા જાગી ગયા. આજે ઉપવાસ કરવાનું નક્કી કરેલું એટલે ખાસ  મીઠા વિનાની ટુથપેસ્ટથી બ્રશ કર્યું સ્નાનાદિ કાર્યક્રમો પતાવ્યા. નાસ્તો તો કંઈ કરવાનો નહોતો એટલે એક કપ  ચ્હા વધારે પીધી. છાપાં ખોલ્યા અને એમાં શ્રાવણ મહિનામાં ઉપવાસનું મહત્વ વાંચતા વાંચતા વિચારોના ચક્રવ્યુહમાં ક્યારે જતા રહ્યા એ સરત જ ન રહી.
"ઉપવાસ" આપણે ત્યાં  જેટલાં લોકપ્રિય અને હાથવગાં છે એટલાં કદાચ બીજે ક્યાંય નથી. ગાંધીજીએ " ઉપવાસ" કરીને  જગતને અણુબોમ્બ કરતાં ય ખતરનાક હોવા છતાં ય હાનિકારક નહીં એવાં અહિંસક હથિયારની ભેટ આપી.થોડાં વરસો પર અન્ના હજારેએ ઉપવાસ કરીને ભારતીય જનતામાં આશાની લહેર જગાવેલી જે સોડાના ઉભરા જેવી સાબિત થયેલી. તો વડાપ્રધાનના "સદ્ભાવના ઉપવાસ "પણ સારો એવો સમય ચર્ચામાં રહેલા. 

ઉપવાસ અને સાદગીને દિયા ઔર બાતી જેવો સંબંધ છે. ઉપવાસ શબ્દ સાંભળતા કે વાંચતા જ એક આધ્યાત્મિક વાતાવરણ રચાઈ જાય.  વાતાવરણમાં ઉપવાસમાં ખવાય એવી વેરાઈટીઓ યુગો પહેલાં ન હોવાથી ઉપવાસમાં ફરજિયાત ફળાહાર જ કરવો પડતો . ને ત્યારે  વન - જંગલોની ય તંગી ન હતી એટલે ફળો ય  મળી રહેતા . "ફરાળ" શબ્દનાં મુળિયાં આ "ફળાહાર"માં છે . મહાભારત કે રામાયણમાં ક્યાંય એવુો ઉલ્લેખ નથી કે "અને પછી પાંડવોએ મોરૈયો ને રાજગરાની ભાખરી આરોગી." કે " સીતાજીએ રામને શિંગોડાનો લોટનો શીરો ધર્યો." રામે કે અર્જુને ફરાળી લોટ કે સારાં બફવડાં ક્યાં મળે છે એ શોધવાની ઉપાધિ ન હોવાથી પુજા પાઠ કરવામાં સમય પસાર કરવો પડતો. એટલાં અંશે એ લોકો સુખી ખરાં .
અાહાર એવા વિચાર ઉક્તિ અનુસાર ઉપવાસ કરવાથી શારીરિક અને આંતરિક એમ બંને પ્રકારની શુધ્ધિ થાય એવી માન્યતા હવે લાંબો વખત ટકી શકે એમ નથી. રણછોડજીના એક મંદિરમાં રહેતા ભક્તોને જો ઉપવાસ હોય તો ભગવાનને એક ટંક ફરાળનો થાળ પીરસાય ને બીજા ટંકમાં ફરજિયાત તળેલી પાપડી ધરાવી દેવાતી.ભગવાન તો ભાવનો ભુખ્યો છે એને આવી બધી પરવા ન હોય ! ઉપવાસ હોય તો ય  જીભનાં ચટાકા ઓછાં ન કરી શક્તા આસ્થાળુઓ માટે ફરાળી પીત્ઝા,ફરાળી ઢોંસા ,ફરાળી ચેવડો ,બિસ્કીટ વગેરે બજારમાં અાવવા માંડ્યા છે. અમારા એક મિત્ર દર વરસે  શ્રાવણ મહિનો આવતા જ  રંગેચંગે ઉપવાસ શરુ કરે.. બે ત્રણ દિવસ તો હોંશમાં ને હોંશમાં ફળ પર જ  ઉપવાસ ખેંચી કાઢે. પછી ધીરે ધીરે એક ટાઇમ ફરાળ તો થાય એમ જાતે જ આશ્વાસન લઈને ફરાળી ખાવાનું ચાલુ કરે. ને ચોથા કે પાંચમા દિવસથી ફરાળને બદલે રોજિંદા ખોરાક પર જાતે જ ટ્રાન્સફર લઇ લે ને જાહેર એવું કરે કે એમને ઘરમાં કોઈ ઉપવાસ કરવા નથી દેતું.ઉપવાસ કરવામાં જેટલો માનસિક સંયમ જોઈએ એટલો બીજા કશામાં નહીં જોઈતો હોય. જાતજાતના પ્રલોભનો હોવા છતાં ભુખ્યા રહેવા કરતા લોઢાના ચણા ચાવી જવા ય સહેલું હશે. જેમ આદમ અને ઈવને પેલું ફળ ખાવાની ઈશ્વરે મનાઈ કરી હોવા છતાં એમને એ ખાધું એમ જ ઉપવાસમાં ખોરાક પર પ્રતિબંધ મુકાતા ખાવાની ઈચ્છા બળવત્તર બની જાય છે. એવું ન થાય એટલા માટે ઉપવાસીએ ભોજન સમારંભો, હોટલો ,જરુર જણાય તો ઘરનો ય ભોજન સમયે ત્યાગ કરવો હિતાવહ છે. 

ખોંખારો: ઉપવાસ કરીને ઉતારેલું વજન ઉપવાસ પુરા થતાં જ વ્યાજ સહિત જુના સરનામે પાછું આવી જાય છે. 

+ image borrowed from google .

(મુંબઈ સમાચાર- લાડકી-"મરકમરક"૧૮/૦૮/૨૦૧૬)


Monday, August 15, 2016

પત્રમૈત્રી-૨...

......ટેકનોલોજીના આવવાથી આપણે આવા સમુહમાં ઉજવાતા તહેવારોથી કેટલાં વિમુખ થતા જઈએ છીએ,નહીં? અરે, તહેવારની વાત જવા દે આપણે કોઈના મૃત્યુને ય કેટલી યાંત્રિકતાથી RIP કહીને છૂટી પડીએ છીએ! "ગૂગલ તારા ચડતા પાણી" સિન્ડ્રોમમાં આપણે જાણ્યે અજાણ્યે  યંત્રના ગુલામ બની બેઠા.કોઈના ખભે હળવેકથી હાથ મુકીને  આશ્વાસન આપવાનું મહત્વ ય તણાઈ જશે કે શું એવી ભીતિ મને તો લાગવા માંડી છે. મને યાદ છે મારા પપ્પાનાં અવસાન સમયે તું કશું બોલ્યો ન હતો પણ મારા ખભે મુકાયેલા તારા હાથની હૂંફની ભાષા ઉકેલવી મને જરાય અઘરી પડી ન હતી. ......

....read more on ..



Thursday, August 11, 2016

ડાબોડી કે જમોડી?

Published in મુંબઈ સમાચાર,૧૧/૦૮/૨૦૧૬ ગુરુવાર, લાડકી પૂર્તિ,"મરક મરક" 

        ચાર વાર રિજેક્ટ થયા પછી અંતે મુળજીકાકાને અમેરિકાના વિઝા મળ્યા ખરાંજિંદગીમાં ક્યારેય વિમાનમાં બેઠેલા નહીં ને બેસવાનું આવ્યું તે સીધાઅમેરિકાની  વાટ પકડીપાસપોર્ટ ગળે લટકાવવાથી માંડીને વિમાનમાં કેવી"ટેક કેર "કરવાની  વિશે બરાબર ગોખાવેલું મુળજીકાકાના જામા ગીગાએ,જેથી કરીને અમેરિકા સુધીના પ્રવાસમાં તકલીફ  પડે.(મુળજીકાકા મુળ જામનગરના અને અેમનો દીકરો ગીગો  તબિયતનો જરા રાંકડો એટલે જામનગરનો ગીગો ,ટંુકામાં જામો ગીગો તરીકે ઓળખાતોએરપોર્ટ પર મુળજીકાકાને લેવા જામો ગીગો સમયસર પહોંચી હૌ ગયો.મુળજીકાકા અભિમન્યુના સાત કોઠા જેવી અભેદ અને ચુસ્ત  અમેરિકન સિક્યુરીટી સુપેરે પાર કરીને બહાર આવ્યા ને ગીગાને જોતાંવેંત  રાડ પાડીગીગો દોડતોક આવીને બાપાને પગે લાગ્યો.બાપાએ એને બાવડેથી ઝાલીને ઊભો કર્યો અને ભેટી પડ્યાં.મેળમિલાપનો કાર્યક્રમ પત્યો એટલે ગીગો બાપાને ટેક્સી ભણી દોરી ગયો.સામાન ડેકીમાં મુકીને મુળજીકાકાએ પોતે ડ્રાઈવરની જોડે આગળ બેસશે એમ કહીને જવાબની રાહ જોયા વિના કારના આગલા ભાગે આવીનેડાબો દરવાજો ખોલ્યો.દરવાજો ખોલતા વેંત  અવાક્ થઈને જોઈ રહ્યા.સામે પક્ષે કારનો ડ્રાઈવર પણ ડઘાઈ ગયો.એટલામાં ગીગો દોડતો આવ્યો ને બોલ્યો: "બાપુજીઓલી કોર્ય ". ને મુળજીકાકા ઉવાચ્ : "  ગાડી તો ડાભોડી છે.આપણાને અથડાવી મારે એવી ગાડી હુ કામ લય આયવો ગીગા? " ગીગો મુળજીકાકાને માંડ સમજાવી શક્યો કે આંયા અમેરિકામાં  લેફ્ટહેન્ડ ડ્રાઈવનો નિયમ છે.કાકા બેઠા તો ખરાં પણ પેલા અમેરિકન ડ્રાઈવરને એમણે પુછ્યું :"  તે હેંઆંયા હંધાય ને હાર્ટ જમણી કોર્ય હોય?" ને પેલા ધોળિયાએ સમજ્યા વિના  હામાં માથું ધુણાવી મુક્યું.ને પત્યું .મુળજીકાકાના મનમાં શંકા ઘર કરી ગઈ કે અહીં બધું ઊંધુ  હોય .એરપોર્ટથી ઘરે પહોંચતા સુધીમાં "ટીયરીંગડાબી બાજુ હોવા વિષે ગીગાને ભયંકર પુછપરછ કરીને મગજ લગભગ કાણુંકરી નાંખ્યું.ને પછી ફળશ્રુતિ રુપે ગાડીમાંથી ઊતરતા  એમણે સ્ટેટમેન્ટફટકાર્યું :"  ડાભોડીઓનો દેસ છે."બાકી હતું તે ઘરના દરવાજે આગળિયો ડાબી બાજુ ફીટ કરેલોહવે કાકાનો વહેમ ખાતરીમાં પલટાઈ ગયોગીગો આખા રસ્તે ચાલુ રહેલી કાકાની ધુંવાધાર બેટિંગના પ્રતાપે કંઈ બોલવાની સ્થિતિમાં નહતોપોતાનો રુમ ડાબી બાજુ છે  જોઈને કાકાને ગીગો ય ડાભોડી થઈ ગયો એવી શંકા પડી "ડાભોડીને "જમ્ભોડીનું ભુત કાકાના માથેથી  ઊતારતા ગીગાને પંદર દિવસ થયાં

             ત્રીજા કે ચોથા ધોરણમાં એક "ડાબો કે જમણો?" એવો કાકાસાહેબ લિખિત પાઠ આવેલો ત્યારે પહેલીવાર  " ડાબોડીને "જમોડીશબ્દોનો પરિચય થયેલોકાનમાં બુટ્ટી પહેરેલી તે પરથી કાકાસાહેબ ડાબોજમણો હાથ ઓળખતા શીખેલા.અમારાં એક માસી "જમીએ   જમણો હાથ " એમ કહેતાં પણ જમવાનું શરુ કયા હાથે કરવાનું  કદી  કહેજાણીતા હાસ્યલેખક સ્વ.બકુલત્રિપાઠીને યેનકેન પ્રકારેણ જમોડી બનાવી દેવાયેલા એમાં  તો નાના હોવાથીખાસ કંઈ વિરોધ  કરી શક્યા પણ એમના અક્ષરોએ બંડ પોકાર્યું અને  કહ્યામાં  રહેતાં ખરાબ થઈ ગયાતો બીજાં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટની શારીરિક તકલીફોએ એમને જમણા હાથને બદલે ડાબા હાથે લખવા મજબુર કર્યાં .પાકા ઘડે કાંઠા  ચડે  કહેવતને વિનોદભાઈએ ખોટી પાડી ને ડાબા હાથે   સુવાચ્ય લખી શકે છેગાંધીજી બંને હાથે લખી શકતાં . "હિંદસ્વરાજ"  જમણા  હાથે લખતા થાક્યા તો ડાબા હાથે લખી

આપણા દેશમાં ડાબા હાથની કાયમ અવગણના થતી આવી છેજમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર  પડવી જોઈએ એને સાચું દાનકર્મ કહેવાયકેમજમણો હાથ દાનવીરનો છે તો ડાબો હાથ એના શરીરની બહાર આવેલોછેપુજાપાઠ હંમેશા જમણા હાથે  કરાય એવી સમજ બાળકના મનમાં  સાવ કાચી ઉંમરથી રોપી દેવાય.

અમારા એક પરિચિતને ત્યાં સત્યનારાયણની કથા હતીને પરિચિતની -સાત વરસની દીકરી કથામાં બેઠેલીમહારાજે કહ્યુ :" બેબી ગણપતિ દાદાને કંકુથી તિલક કરો " ને બેબીબેને ડાબા હાથે ગણપતિદાદાને તિલક કર્યુંમહારાજ આઘાત પામી ગયાકળ વળતા એમણે બેબીને સમજાવ્યું કે  જે હાથે જમે છે  હાથથી  તિલક કે પુજા કરાય.એટલે બેબીબેન બોલ્યા: "પણ અંકલ.  હું તો  હાથથી  જમુ છુંહેં ને મમ્મા?" મમ્માએ હસીને હા કહી એટલે મહારાજ જરા નારાજગી થી બોલ્યા:  "યજમાન,પૂજાપાઠ જેવાં પવિત્ર કામ હંમેશા જમણા હાથે કરાયબહુ સામાન્ય સમજ છે  તોબેબી ગણપતિજીની મુર્તિ પર તિલક કરે છે   ડાબો હાથછે. "

હા સોરી મહારાજશું છે કે  ડાબોડી છે  તો  ડાબા હાથે  તિલક આર્ટિસ્ટીક અને માપસરનું કરી શકશે. . "

"તે જે કહેવાય તેજમણા હાથથી  તિલક કરો ચાલોમારે બીજે  કથા કરવાજવાનું છેબેબીબેન ,એક કામ કરો મેં તમારા હાથ પર નાડાછડીજી બાંધ્યાછે  જમણો હાથ છે એટલું યાદ રાખજો,બસબાકી બધું મારા પર છોડી દો. " બેબીબેનની મમ્માએ બેબીને પાછું ડાબું જમણું સમજાવ્યું અને  મહારાજને કથાજલદી પતાવવા સુચના આપી જેથી બધા વેળાસર જમવાભેગા થઈ શકે.

.  પોતાને ક્રિકેટમાં સર્વજ્ઞ માનતા અમારા એક વડીલે  એકવાર ખુબ આત્મવિશ્વાસ સાથે જ્ઞાન પીરસેલું. " એક ટાઈમ હતો કે જ્યારે ઈન્ડિયન  ક્રિકેટટીમમાં પાંચ પાંચ સોલિડ લેફ્ટીસ્ટ હતાં." વયમર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈએએમને પ્રગટપણે તો કંઈ  કહ્યું હોય પણ મનોમન તો હસી  લીધું હશે

      ડાબોડીઓ માટે એવું કહેવાય છે કે એમનો બુધ્ધિઆંક ઊંચો હોય છેકળાનીસમજ પણ વધુ હોય છે.લઘુમતી કહી શકાય એવી  જમાતમાં  સિકંદર,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા, જુલિયસ સીઝર ,જે.એફકેનેડી ,જેક - સીરીયલ કીલર ,બરાક ઓબામાજ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા,સચીન તેંડુલકર,સૌરવ ગાંગુલી,યુવરાજ સિંઘ,અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન ,કપિલ શર્મા , નરેન્દ્ર મોદીરતન તાતા એન્ડ અબોવ ઓલ..મહાત્મા ગાંધી ..  બધા નામોનો સમાવેશ છે.ડાબોડીઓ ઘણે ભાગે મગજપર નિયંત્રણ રાખી  શકતા હોવાથી ગુસ્સો ખિસ્સામાં  મુકીને  ચાલે.


ખોંખારો : "ઊંધા હાથની અડબોથવિશ્વના ૧૦ થી ૧૨ % લોકો માટે સીધા હાથની હોય છે.